બનાસકાંઠા ના થરાદ તાલુકા ના મહાજન પુરા ગામમાં વાંદરાઓ ને ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્યા

થરાદ,
તા. 23-8-2020 બનાસકાંઠા ના થરાદ તાલુકા ના મહાજન પુરા ગામ ના શિવજી ના મંદિર ની બાજુમાં આવેલ ચોમાસું નુ પાણી ભરેલ સરોવર માં કદમ ના અને બાવળ વૃક્ષો આવેલ છે તેના ઉપર છેલ્લા દસ દિવસ થી વાંદરા વૃક્ષો ઉપર હોઈ છે, નીચે ચારે બાજુ પાણી હોઈ છે તે વાંદરાઓ નીચે ઉતરી સકેલ ના હોવાથી થરાદ નગરપાલિકા ની ફાયર બ્રિગેડ ની ટીમને જાણ કરતા તાત્કાલિક નગરપાલિકા ના તરવૈયા ની ટીમ અને મહાજન પુરા ના ગ્રામ જનો જેવા કે કમલેશ ભાઈ તથા વસરામ ભાઈ અને ભવનભાઈ અને દલરામ ભાઈ બીજા ઘણા બધા મહાજન પુરા ના ગ્રામ જનો એ ચાર થી પાંચ કલાક ની ભારે જહેમત બાદ વાંદરાઓ ને ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્યા.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment